Dr. Himanshu Patel https://himanshupatel.org General Secretary, Gujarat Pradesh Congress Committee Wed, 23 Jun 2021 17:38:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 214645544 અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ડૉ. હિમાંશુ પટેલની નિમણૂંક https://himanshupatel.org/2021/06/23/%e0%aa%85%e0%aa%96%e0%aa%bf%e0%aa%b2-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80%e0%aa%af-%e0%aa%95%e0%ab%81%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a4%e0%ab%8d/ Wed, 23 Jun 2021 17:33:23 +0000 https://himanshupatel.org/?p=309

અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક, ગુજરાતના ટ્રસ્ટી અને જાણીતા એડવોકેટ ડૉ. હિમાંશુ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ૧૨૬ વર્ષોથી ભારતના ૨૮ કરોડ જેટલાં પાટીદારોને રોટીબેટીના વ્યવહારથી જોડાવાની કામગીરી કરતી આ સંસ્થાની પ્રગતિ માટે અડાલજવાળા એડવોકેટ ડૉ. હિમાંશુ પટેલે સંકલ્પ વ્યક્ત કર્યો છે.

અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભા છેલ્લા ૧૨૬ વર્ષોથી ભારતના ૨૮ કરોડ જેટલાં પાટીદારોને રોટી-બેટીના વ્યવહારથી જોડાવાની કામગીરી કરે છે. આ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છત્તીસગઢના મુખ્યમંત્રીશ્રી ભૂપેશ બધેલના પિતાશ્રી નંદકિશોર બધેલના સંનિષ્ઠ પ્રયાસોથી સમાજની એકતા અને સામાજિક વિકાસની કામગીરીમાં પ્રગતિ કરવામાં આવી છે. આ સંસ્થાના ગુજરાત પ્રદેશ એકમની તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં આ સંસ્થાનાં નવા હોદ્દેદારોની નિમણૂંક કરવા સાથે નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ડૉ. હિમાંશુ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે એમ. એ. પટેલનો કાર્યકાળ પૂરો થતાં તેમની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અખિલ ભારતીય કુર્મીં ક્ષત્રિય મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી એમ. એ. પટેલનો કાર્યકાળ પૂરો થતાં તેમના સ્થાને અડાલજવાળા પાટીદાર યુવા અગ્રણી ડૉ. હિમાંશુ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે નવા અધ્યક્ષ તરીકે વરાયેલા સહકારી આગેવાન ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના સમસ્ત સમાજની એકતા અને સર્વાંગી વિકાસ માટે તેઓ સતત કાર્યરત રહેશે. આ સાથે સમગ્ર સમાજ માટે આ સંસ્થાની વિવિધ પરિયોજનાઓના અમલ ખૂબ ઝડપથી કરવામાં આવશે. પાટીદાર સમાજમાં દિકરીઓની પડી રહેલી ઘટને દૂર કરવા માટે આંતરરાજ્ય પછી આંતર રાષ્ટ્રીય કક્ષાએ સમૂહ લગ્ન યોજવાનો નવતર પ્રયોગ સમગ્ર વિશ્વ અને તમામ સમાજાે માટે ઉદાહરણ રૂપ બની રહ્યો છે. આ સમૂહ લગ્નોત્સવ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ, કન્યા કેળવણી, બિઝનેસ ફેર, રોજગારી અનામત સાથે સમાનતા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરીને સામાજિક વિકાસ માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય કક્ષા સુધી સમગ્ર સમાજનું સંગઠન મજબુત બનાવવામાં યુવાનોનું પણ મુખ્ય યોગદાન લેવામાં આવશે.

]]>
309
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, ગુજરાતમાં ટ્રસ્ટી તરીકે એડવોકેટ ડૉ. હિમાંશુ પટેલની નિમણુંક.. https://himanshupatel.org/2021/06/23/%e0%aa%b8%e0%aa%b0%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%ad%e0%aa%ad%e0%aa%be%e0%aa%88-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d/ Wed, 23 Jun 2021 17:10:34 +0000 https://himanshupatel.org/?p=303

અખંડ ભારતના ઘડવૈયા અને સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનની આગવી ઓળખ ઊભી કરનારા એવા સરદાર વલ્લભાઈ પટેલના સમગ્ર દેશમાં આવેલુ એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક અમદાવાદમાં છે.  ગુજરાતમાં ટ્રસ્ટી તરીકે પાટીદાર યુવા એડવોકેટ ડૉ. હિમાંશુ પટેલની નિંમણુક કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક  ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ભૂતપુર્વ મુખ્યપ્રધાન સ્વ. કેશુભાઈ પટેલ હતા. જેમના નિધનથી ખાલી પડેલ જગ્યાએ આ ટ્રસ્ટના ચેરમેન દિનશા પટેલે  એડવોકેટ ડૉ. હિમાંશુ પટેલની ટ્રસ્ટી તરીકે નિમણુંક કરી છે.

પાટીદાર યુવા અગ્રણી ડૉ. હિમાંશુ પટેલ શાળા-કોલેજ કક્ષાએથી  સરદાર પટેલનાં આદર્શો, સિદ્ધાંતો અને વિચારધારાથી રંગાયેલા છે. ડૉ. હિમાંશુ પટેલની ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ  અને સિન્ડિકેટના સભ્ય છે. તેઓ આ માધ્યમથી શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. નવાં વિઝન સાથે નૈતિકતા અને પરિશ્રમને જ જીવનમંત્ર બનાવનાર ડૉ. હિમાંશુ પટેલ આ ટ્રસ્ટી તરીકેની નિમણુંકને દરેક સમાજની  યુવા પેઢી માટે ગૌરવપૂર્ણ ગણાવી છે. હિમાંશુ પટેલ આ ટ્રસ્ટનાં માધ્યમથી સમગ્ર દેશમાં એકતા, અખંડિતતા અને ભાઈચારા માટે અડગ મનોબળ સાથે કાર્યરત રહી સરદાર સાહેબ અને ગુજરાતનું ગૌરવ વધારવાનો સંકલ્પ કર્યો છે.  

]]>
303
લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ એવોર્ડથી ડૉ. હિમાંશુ પટેલનું સન્માન https://himanshupatel.org/2021/06/23/%e0%aa%b2%e0%aa%be%e0%aa%88%e0%aa%ab-%e0%aa%9f%e0%aa%be%e0%aa%88%e0%aa%ae-%e0%aa%97%e0%ab%8b%e0%aa%b2%e0%ab%8d%e0%aa%a1%e0%aa%a8-%e0%aa%8f%e0%aa%9a%e0%ab%80%e0%aa%b5%e0%aa%ae%e0%ab%87%e0%aa%a8/ Wed, 23 Jun 2021 16:55:32 +0000 https://himanshupatel.org/?p=301

ગુજરાત રાજ્યમાં અનેકવિધ ક્ષેત્રે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરી રાષ્ટ્રીય અને સામાજિક પ્રગતિ માટે નોંધપાત્ર યોગદાન આપનાર રાજકીય અને સહકારી આગેવાન ડૉ. હિમાંશુ પટેલને લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત રત્ન પબ્લિસિંગ હાઉસ, નવી દિલ્હી દ્વારા ડૉ. હિમાંશુ પટેલે યુવા વયથી જ શૈક્ષણિક, રાજકીય, સામાજિક વિકાસ અને કાયદાકીય ક્ષેત્રે નિઃસ્વાર્થભાવે આપેલી સેવાઓને બિરદાવી આ સન્માન આપવામાં આવ્યું છે.

સંશોધન ક્ષેત્રે વૈશ્વિક નામના ધરાવતી ભારત રત્ન પબ્લિસિંગ હાઉસ, નવી દિલ્હી દ્વારા પ્રતિષ્ઠાભર્યા લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા રાજકીય, સામાજિક, વિકાસ ઈન્ડસ્ટ્રીઝ, કોમર્સ, લૉ, શિક્ષણ, સિનેમા, આર્કિટેક્ચર, ઍન્જિનિયરિંગ, મૅડિસિન, ડ્રામા ક્ષેત્રે અભુતપૂર્વ કામગીરી કરનાર ભાઈ – બહેનોને આ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. એક ખાસ ટીમ દ્વારા સમગ્ર દેશમાં સર્વે કરાવી કુલ ૮૨ પ્રતિભાશાળી વ્યક્તિઓની આ ઍવોર્ડ માટે પસંદગી કરવામા આવી છે.
ભારત રત્ન પબ્લિસિંગ હાઉસ, નવી દિલ્હીના જનરલ સેક્રેટરી આર.કે.ચૌહાણ તેમજ એડીટર એન્ડ પબ્લિશર અજય ઠાકુરે જણાવ્યું છે કે, રાષ્ટ્રીય અને સામાજિક વિકાસ માટે કોઈ સ્વાર્થ વિના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓનું આ ઍવોર્ડથી સન્માન કરવામાં આવે છે જેમાં ગુજરાત રાજ્યમાં અનેકવિધ ક્ષેત્રોમાં યુવા વયથી જ શ્રેષ્ઠ પ્રદાન કરનાર જાણીતા રાજકીય અને સહકારી આગેવાન, ઍડવૉકૅટ ડૉ. હિમાંશ પટેલનું લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ ઍવૉર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. ગાંધીનગર નાગરિક કો. ઑપ. બેંકના પૂર્વ ચૅરમેન અને ડિરૅક્ટર ડૉ. હિમાંશુ પટેલ ૧૯૮૫થી ગુજરાત યુનિવર્સિટીના સૅનેટ અને સિન્ડિકેટ મેમ્બર તરીકે કાર્યરત રહી વિદ્યાર્થીઓ અને યુવાનોનાં હિતમાં સક્રિય યોગદાન આપી રહ્યાં છે. ઍડવૉકેટ ડૉ. હિમાંશુ પટેલે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા યોજાયેલી દાંડી યાત્રા, જંગ – એ – આઝાદી પદયાત્રામાં જાેડાઈ યુવાનોમાં રાષ્ટ્ર પ્રેમની જ્યોત પ્રગટાવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલ સરદાર પટેલ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી તેમજ અખિલ ભારતીય કુર્મી ક્ષત્રિય (સમસ્ત પાટીદાર) મહાસભાનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે રાજકીય, સામાજિક, શિક્ષણ અને કાયદાકીય ક્ષેત્રમાં ખાસ કરીને યુવાનો, મહિલાઓ તેમજ જરૂરિયાતમંદોના ઉત્થાન માટે નિષ્ઠાથી પ્રેરણારૂપ યોગદાન આપી રહ્યાં છે.

]]>
301
About Dr. Himanshu Patel https://himanshupatel.org/2021/05/29/about-dr-himanshu-patel/ https://himanshupatel.org/2021/05/29/about-dr-himanshu-patel/#respond Sat, 29 May 2021 07:46:13 +0000 https://himanshupatel.org/?p=75

Himanshu Patel a highly self-motivated and determined individual, has an active involvement in the social and political scenario of Gujarat. He is one of the Spokesperson of Gujarat Pradesh Congress Committee and has done countless endeavors towards taking Gujarat to new heights of success.

An advocate himself, he believes education is an important aspect of human development. He lays great emphasis on educating the youth and enabling it in driving India in the direction of unsurpassable growth. He is a Senate Member of Gujarat University (registered law faculty) and has been associated with numerous other colleges and universities like C.U. Shah College, Vivekanand Law College and M. N. Law College in various capacities. Apart from being highly involved in academics, he is also the Vice Chairman of Gandhinagar Nagarik Co-operative Bank Ltd.

Being an inspirational youth leader, he has constantly strived at strengthening the youth through his initiatives and leadership. With a belief that the involvement of youth in politics will bring about a positive evolution in political thinking and will highlight the issues that the nation is facing currently, he has founded various youth organizations and headed several others.

Having attended a number of state, national and international seminars, conferences, workshops, rallies, campaigns etc. in India and abroad, he has a comprehensive view of the world political scenario, which has helped him lead social transformations that will help position Gujarat on a global platform.

As a believer of inclusive growth, he has initiated and led many community welfare activities in Gujarat. With various non-political and political credits to his name, he has been a candidate of Gujarat Assembly from Congress (December 2002) and a convener in the Law College Student Welfare Committee that protested against fee hike in law colleges.

]]>
https://himanshupatel.org/2021/05/29/about-dr-himanshu-patel/feed/ 0 75